Skip to Content

શ્રી રંગપુર ધામ: શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક

(Shree Rangpur Dham: A Symbol of Faith and Devotion)

બોલો મારી રંગપુર વાળી સધી મા નો જય!

પાટોત્સવ - 2026


સધી માતાજી મંદિર, રંગપુર

Festivals


સધી માતાજી મંદિર, રંગપુર વિશે

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલું 'રંગપુર' ગામ આજે સમગ્ર ગુજરાતમાં એક પવિત્ર યાત્રાધામ બની ગયું છે. આ ગામમાં બિરાજમાન શ્રી સધી માતાજી તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. રંગપુર ધામ એ માત્ર મંદિર નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં સધી માતાજી "જાગતી જ્યોત" સ્વરૂપે પૂજાય છે.

અર્જુનભાઈ દેસાઈ (ભુવાજી) 

અર્જુનભાઈ દેસાઈ, જેઓ ભુવાજી તરીકે ઓળખાય છે, તે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા પાસે આવેલા રંગપુર ગામના સિદ્ધેશ્વરી માતાજી મંદિર સાથે જોડાયેલા છે. તેઓ દર રવિવારે ત્યાં દરબાર ભરે છે, જ્યાં ભારતભરમાંથી હજારો લોકો પોતાની સમસ્યાઓ (જેવી કે બીમારી, દેવું, કૌટુંબિક ઝઘડા વગેરે) લઈને આવે છે.